સ્થળ અને મહત્વ


સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગિયો અવતાર.
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગિયો અવતાર.
હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળો માંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમનાં ધર્મ સ્થાનકો આવેલ છે જેથી મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની ” અનેકતા મા એકતા ” નુ સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.
ઈતિહાસ
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઈતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઈતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.
આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવળ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખુબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અને ગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જુનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર‘. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
પુરાણોમાં ઈતિહાસ
પુરાણકારોએ, લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઈતિહાસ-[[પુરાણ]માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
પુરાણકારોએ, લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઈતિહાસ-[[પુરાણ]માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવલિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
ગિરનારની પરિક્રમા
પરિક્રમાનું મહત્વ

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
પરિક્રમાનાં સ્થળ





પરિક્રમામાં સેવાકીય પ્રવ્રૂતિ
ગિરનાર ફરતે દરવર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, તો આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે. આમ પણ સૌરાષ્ટ્રની પ્રજા ભોજન કરાવવામાં અને ભજન કરવામાં આગળ છે. જેનાં દાખલા ગણ્યા ગણાય તેમ નથી.
(૧) શ્રી ખોડીયાર રાસ મંડળ-રાજકોટ:- આમ સમગ્ર પરિક્રમામાં સેવા અને અન્નક્ષેત્ર ચલાવવામાં મોખરાનું સ્થાન ધરાવતું રાજકોટ શહેરનું શ્રી ખોડીયાર રાસ મંડળ. આ સંસ્થા ઈ.સ.૧૯૬૧ થી સતત દર વર્ષે ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને બન્ને ટાઈમ ભોજન અને ભજન પીરસીને તૂપ્ત કરી રહી છે. રાજકોટનાં ગ્રીન મરચન્ટ વેપારી મિત્રો દ્વારા સ્વ. લાભુભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ આ અન્નક્ષેત્રને આગળ ચલાવવામાં આવે છે. અને અત્યારે તો એક વટવ્રૂક્ષ બની ગયેલ છે. આ સેવા અત્યારે જીણાબાવાની મઢીએ પુરી પાડવામાં આવે છે.
આમ શ્રી ખોડીયાર રાસ મંડળ તરફથી રોજ યાત્રિકોને ચોખ્ખા ઘીની ગુંદી, ગાંઠીયા, લીલા શાકભાજી તથા કઠોળનું શાક, સંભારો, ખીચડી અને કઢી વગેરે પીરસવામાં આવે છે. આ ઉપરાંત ચા,દુધ અને પાણીની પ્રસાદી અવિરત ચાલુ હોય છે. તેમજ રાત્રે નાંમાંકીત કલાકારો દ્વારા ભજન અને ભવાઈ અને નાટકમંડળી દ્વારા લોકોનો થાક ઉતારવામાં આવે છે. આ ઉપરાંત કોઇ અકસ્માત સર્જાય તો પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી એમ્બ્યુલન્સ તથા દવાઓ રાખવામાં આવે છે. આમ માનવતાનાં પ્રવાહને જીવંત રાખવા માટે તેઓ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
(૨) વડાલ અન્નક્ષેત્ર:- ઈ.સ.૧૯૫૯ થી ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને સગવળતા મળી રહે તે હેતુથી વડાલ ગ્રામજનો દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ હતું જે આજે પણ સતત ચાલુ જ છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને જળ અને જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ વાતને સાર્થક કરતા વડાલ ગ્રામજનો આ અન્નક્ષેત્ર સુરજકુંડથી માળવેલાની વચ્ચે શુકનાળા પાસે ચલાવવામાં આવે છે. જયાં યાત્રિકોને આરામ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ચા-પાણીની પ્રસાદી આપવામાં આવે છે.
(૩) મીરા દાતાર અન્નક્ષેત્ર:- આમ તો મીરા દાતારની જગ્યા એ અત્યારનાં સમયમાં કોમી એકતાનું ઉતમ ઉદાહરણ છે. કારણકે આ જગ્યામાં જમિયલશા પીરની દરગાહ આવેલી છે. જેનાં બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુ દ્વારા આશરે ઈ.સ.૧૯૫૨ની સાલથી શરૂ કરવામાં આવેલા આ અન્નક્ષેત્રને હાલ તેમના શિષ્ય અને હાલનાં મહંત ચલાવે છે. જે સુરજકુંડની જગ્યાએ ચાલે છે. આ જગ્યાએ જમવાની તથા ચા-પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવે છે. આમ ગિરનારની પરિક્રમાએ આવતા દરેક ધર્મનાં યાત્રિકો તેનો લાભ લે છે. અને ભાઈચારાની ભાવના કેળવે છે.
આ ઉપરાંત અન્ય ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં પોતાનાથી થઈ શકે તેવુ યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૂધ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.
પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
* યાત્રિકો જરૂર પુરતો સામાન સાથે રાખે તથા જરૂર મુજબ સુકો નાસ્તો, વોટરબેગ, નાનુ ચપ્પુ, પેપર, સાલ, સાબુ, ટુથબ્રશ, હાથપગ મોજા અને હાથબતી જેવી ચીજવસ્તુ સાથે રાખવી.
* યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
* ૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
* સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
* યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
* ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
* યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે…
* યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
* ૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
* સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
* યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
* ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
* યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે…
ભવનાથનો મેળો

પુરાણો ઈતિહાસ
ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઈતિહાસ છે.
(૧) ભવનાથ મહાદેવ :- આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદીરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રૂદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રૂદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રૂદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પુનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.
મહત્વ અને વર્ણન

આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભનો મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.
ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદીરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે… જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.
નાગાબાવાનું સરધસ
ભારત વર્ષનાં ઈતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.

આ સરઘસ શિવરાત્રીની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદીરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.


રાવટી અને ઉતારા
જેમ સૌરાષ્ટ્રનાં સાધુ-સંતોની આગવી છાપ રહી છે કે જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો, સંત કબિર કહે કમાલકુ દો બાતે સીખલે, કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે. તેને સાર્થક કરતી સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.

આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. આમ આ મેળાનો લાભ લેવો તે જીદંગીનો એક લાહવો ગણાય છે. અને સામુહિક સાધુ-સંતોના દર્શનનો લાભ પણ મળે છે.
મંદિરો
નેમીનાથજીનાં દેરાસર
નેમીનાથજી ભગવાન – ગિરનાર (જુનાગઢ)
નેમીનાથજી ભગવાન – ગિરનાર (જુનાગઢ)

ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદીર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદીર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા’માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદીરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદીરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદીરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.
આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા’ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદીર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્ર્વનાથજીના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદીરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્ર્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. આમ શ્રી નેમીનાથજીના દેરાસરો ગિરનાર પર્વત પર ખુબજ જુનાં વખતથી આવેલા છે.
અંબાજીનું મંદિર

આમ ભીમકુંડથી અંબાજી મંદીરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદીરે પહોંચે છે. આમ ‘જય ગિરનારી’ નાં નામનો નાદ જેના નામે ગાજે છે તે અંબાજીનું ભવ્ય મંદીર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.
ગોરખનાથનો ધુણો
ગોરખનાથની ટુક

અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદીર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખુબજ થકાવનારો હોય છે. તેમજ અહીનું દ્રશ્ય ખુબજ સુંદર દેખાય છે કારણકે વાતાવરણમાં ઘુમ્મ્સનું પ્રમાણ જોવા મળે છે. અને એવુ લાગે છેકે આપણે વાદળની વચ્ચે જ ઉભા હોય. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.
દતાત્રેયનો ધુણો
ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખુબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે
ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.

આ શિખરથી આગળ ‘કાલકા ટુંક’ આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.
મીરા દાતાર
ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ ભવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં માણસો દર્શનાર્થે આવે છે. જેથી કોમી એકતાનું પ્રતિક સમુ આ સ્થળ આવેલું છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.
અન્ય સ્થળો
અશોકનો શિલાલેખ

દામોદર કુંડ
જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખુબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદીર આવેલું છે.
આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન(સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી., વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલેકે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.
શિવરાત્રિનો મેળો : જાણવા જેવો, માણવા જેવો
ગિરનાર અદભુત છે. એને હિમાલયનો પણ પ્રપિતામહ ગણવામાં આવે છે. આભને આંબતા એના ઊતંગ શિખરો પર સદીઓ-યુગોથી ધર્મની ઘ્વજા ફરકતી રહે છે. ગિરનાર એ માત્ર કાળમિંઢ પથ્થરોનો સીધો સાદો પર્વત નથી. એના કણકણમાં ચેતના છે. સાધકો, મુનિઓ, તપસ્વીઓ અને અલખના આરાધકો માટે એ પ્રચંડ-અખૂટ આઘ્યાત્મિક શકિતઓનો સ્ત્રોત છે. હજારો-લાખો વર્ષોથી સઘ્ધિ સાધુ, સંતો, સાધકોની આ તપશ્ચર્યા ભૂમિ છે.
હા ! આ આખો પર્વત, એનો તસુ એ તસુ ભાગ એક પવિત્ર તિર્થધામ છે. અને એટલે જ આ પર્વત ઉપર દત-દાતારના બેસણા છે. જગતજનની મા અંબા આ પર્વતના ઉચેરા શિખર ઉપર બેસીને આ સૃષ્ટિની રક્ષા કરે છે. મહાકાલેશ્વર પ્રભુનું આ પર્વતની ગુફામાં બેસણું છે. ૩૩ કરોડ દેવતાઓ, ચોંસઠ જોગણીઓ અને બાવન વિરો અહીં બિરાજમાન છે. ગિરનાર તો ગિરનાર છે. એ ભવ્ય છે, એ દિવ્ય છે અને એ ગેબી છે.
ગિરનારના અનેક રૂપ છે. એના વિશાળકાય ખડકો ઉપરની લીલીછમ વનરાઈઓ એને અદભુત સૌંદર્ય બક્ષે છે. જાણે કે કદી પૂરી જ ન થવાની હોય એવી એની ગિરિમાળાઓ બેમિસાલ સુંદરતા, એની અણસ્પર્શી તાજગી અને કદી કલ્પના પણ ન કરી હોય એવી નિરવ શાંતિથી છલકાય છે. પુનમની રાત્રે ગિરનારની ટોચ ઉપરથી નજરે પડતું એની માઈલો સુધી પથરાયેલી કંદરાઓનું અવર્ણનીય સૌંદર્ય ઇશ્વરની અલૌકીક સર્જનાત્મકતાની ઝલક આપે છે.
તો અમાસની કાજલધેરી અંધારી રાત્રે પર્વત પર વ્યાપેલા સન્નાટામાં જાતને ડુબાડીને અબજો તારલિયાઓથી ચમકતા અસીમ આકાશનું દર્શન માનવીને બ્રહ્માંડની ભવ્યતાનું ભાન કરાવે છે. ગિરનાર તો ગિરનાર છે અને આ ગિરનારનું સૌથી રહસ્યમય પાસુ હોય તો એ એનું ગેબીતત્ત્વ છે.
ગિરનારને કોઈ પૂરેપૂરું પીછાણી શકયું નથી. આ ભૂમિ, આ પર્વતના આધિપતિ દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાન છે. કૈલાસની જેમ જ ગિરનાર ઉપર પણ શિવજીનું નિવાસસ્થાન છે. ભોળિયો નાથ અહીં સાક્ષાત ડમરું વગાડે છે અને એ અલગારી ભોળિયા ભગવાનને રિઝવવા સાધુઓ, નાગાબાવાઓ જિંદગી આખી અલખના ધૂણા ધખાવીને બમ બમ ભોલેના નાદ લગાવ્યે રાખે છે. શરીરે ભસ્મો લગાવી, દિશાઓને જ વસ્ત્રો બનાવીને દિગંબર અવસ્થામાં શિવજીની ભકિતમાં મસ્ત રહેતા આ નિર્લેપ-અલગારી સાધુઓના દર્શન કરવાની તક જૂનાગઢના ભગનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં પ્રાપ્ત થાય છે.
સંસારનો મોહ ત્યજીને પોતાને શિવમય બનાવી દેનારાઓ સાધુઓ કોણ છે ? એમની સાધના કઈ હોય છે ? એમની દિનચર્યા શું છે ? એમની સિઘ્ધિઓ કેવી હોય છે ? એ કયાંથી આવે છે ? કયાં જાય છે ? કયાં રહે છે ? વગેરે વગેરે પ્રશ્નો સદીઓથી ઉત્સુકતા જગાવતા રહ્યા છે.સાધુ જીવનનો એક વણલખ્યો નિયમ છે. સાધુનું કૂળ અને એનું મૂળ કદી પૂછવામાં નથી આવતા. ભગવા ધારણ કર્યા પછી સાધુ એનો ભૂતકાળ સદા માટે દફનાવી દે છે. સંસારી લોકોનું સાધુઓ અંગેનું જ્ઞાન ખૂબ અલ્પ અને ઉપરછલ્લું હોય છે.
શિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ પણ નાગાસાધુઓ હોય છે. આ સાધુઓના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રના આઠથી દસ લાખ લોકો દર વર્ષે આ મેળામાં ઊમટી પડે છે. સાધુઓ પણ આ ચાર દિવસ દરમિયાન લોકોને ખુશીખુશીથી દર્શન અને આશીર્વાદ આપે છે.
જાણકારોના કહેવા પ્રમાણે ગીર તળેટીમાં વિવિધ પંથના સાધુઓના છ અખાડા છે. અખાડા એટલે કે જે તે પંથના સાધુઓની જગ્યા. ભવનાથ તળેટીમાં શિવ શંભુ પંથ દશનામ અખાડા, શિવ શંભુ પંથ અગિ# અખાડા, શિવ શંભુ પંથ દશનામ આહ્વાન અખાડા, નિરંજન અખાડા, અટલ અખાડા અને ઉદાસી અખાડા અસ્તિત્વ ધરાવે છે. એ પૈકીના ઉદાસી અખાડાને બાદ કરતા બાકીના તમામ પંથ શૈવપંથી છે અને બધા દિગંબર પંથી સાધુઓ છે.
આ તમામ અખાડાઓમાં જે તે પંથના કેટલાક સાધુઓ કાયમી નિવાસ કરી, પંથે નિર્માણ કરેલ વિધિ વિધાન મુજબ એ અખાડાઓનું જતન કરે છે. શિવપંથમાં અખંડ ધૂણાનું ગેબી મહત્ત્વ છે. ધૂણામાંથી દિન-રાત પવિત્ર અવિરત ધુમ્રસેરો ઊઠતી રહે છે. અને ધૂણે બેસી, શરીરો પર ભસ્મો લગાવી અલગારી સાધુઓ શિવોહમ શિવોહમના નાદ લગાવ્યે રાખે છે.
મહાશિવરાત્રિના મેળા દરમિયાન આ પંથોના અન્ય સ્થળે વસતા નાગાબાવાઓનું જૂનાગઢમાં પોતપોતાના અખાડાઓમાં આગમન થાય છે. જાણકારસૂત્રોના જણાવ્યા મુજબ કદી જાહેરમાં ન આવતા આ નાગાસાધુઓ શિવરાત્રિ ઉપર અચુક જૂનાગઢ આવે છે. આ ક્ષેત્રમાં ગળાડૂબ બનેલા જાણકારોની મત મુજબ શિવરાત્રિ ઉપર કાશી, હરિદ્વાર, નાસકિ, ત્રયંબક અને નેપાળ જેવા સ્થળઓએ આખું વર્ષ આકરી તપશ્ચર્યા કર્યા બાદ એ પાવનકારી તિર્થધામોમાંથી નાગાબાવાઓ ગિર તળેટીમાં આવી જાય છે. અને પોતપોતાના અખાડાઓમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપે છે. મહાશિવરાત્રિની મધરાત્રે સરઘસ પૂરું થયા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને પછી આ બાવાઓ ચૂપચાપ પોતાના મૂળસ્થાને સિધાવી જાય છે.
મહાશિવરાત્રિની રાત્રે નીકળતું નાગાબાવાઓનું આ સરઘસ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. સાધુઓ પોતપોતાના શસ્ત્રો, ચિહ્નો વગેરે સાથે દિગંબર અવસ્થામાં ભવનાથ મંદિર ભણી કૂચ કરી જાય છે. એ સમયે એવું લાગે છે કે, આ પૃથ્વી ઉપર જો કોઈ સાચા શહેનશાહ હોય તો એ આ બાવાઓ જ છે. નાગાસાધુઓ સરઘસ દરમિયાન હઠયોગ થકી પ્રાપ્ત થયેલી પ્રચંડ શકિતઓનું પ્રદર્શન કરે છે.
તળેટીના ઢાળવાળા રસ્તાઓ ઉપર ઈન્દ્રિય સાથે દોરડું બાંધીને ભારેખમ વાહનો ખેંચતા સાધુઓ, કે લિંગમાંથી આરપાર પસાર કરેલા લોખંડના સળિયાઓની બન્નો બાજુ ઉપર એક એક માણસને ઊભા રાખવાનું કૌવત દેખાડી શકતા આ સાધુઓ કઈ હદની શારીરિક, માનસકિ અને આઘ્યાત્મિક સિઘ્ધિઓ ધરાવતા હશે એના અચંબિત કરી દેતો પરિચય આપે છે.
પણ વાત માત્ર આ શકિતઓ કે સિઘ્ધિની નથી. એવું માનવામાં આવે છે કે, આ સરઘસની આગેવાની નાગાસાધુ સ્વરૂપે ખૂદ દેવાધિદેવ શંકર ભગવાન લે છે. ગિરનારના ટોચના શિખર પરથી નીચે ઊતરીને દત ભગવાન પણ એ સરઘસમાં જોડાય છે અને શિવજી અને દત ભગવાનની આગેવાની હેઠળ સનાત ધર્મના, અલખના ભોળેનાથના આરાધક એવા નાગાબાવાઓ જયારે મૃગીકુંડમાં ધૂબાકા મારે છે ત્યારે એ ક્ષણની સાક્ષી થવા ૩૩ કરોડ દેવતાઓ ગિર તળેટીના આકાશમાં ઊમટી પડે છે. દર વર્ષે લાખો લોકો આ દિવ્ય ક્ષણની દિવ્ય અનુભૂતિ પામવા ઊમટી પ઼ડે છે.
મહાશિવરાત્રિનો મેળો શહેરોના સુંવાળા લોકો માટે નથી. આ મેળો છે સૌરાષ્ટ્રની ખડતલ ગામઠી પ્રજાનો. માથે ભાતાના ડબ્બા અને કાંખમાં છોકરું રાખીને કલાકો સુધી એક સ્થળે ઊભા રહીને શિવસ્વરૂપી નાગાબાવાઓના દર્શન કરવાની અખૂટ ભકિત અને શ્રઘ્ધા ધરાવતી સોરઠની, કાડિયાવાડની, હાલારની અને ઝાલાવાડ કે ગોહિલવાડની અસલ સૌરાષ્ટ્રીયન સંસ્કતિ ધરાવતી તાકાતવાળી મહિલાઓનો આ મેળો છે. ઈશ્વરમાં અતૂટ શ્રઘ્ધા ધરાવતા, સીધા સાદા ભોળ્યા ભાવિકોનો આ મેળો છે. અને કદાચ ! આવા ભોળ્યાઓને જ ભોળેનાથ મળે છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. એકા’દ દિવસ, બાકીનું બધું વિસારીને, મોહ, માયા, સ્વાર્થ, વેપાર, ધંધા, નોકરી, પ્રપંચ અને બુઘ્ધિ-તર્કનું પડીકું વાળીને અલખના સાચા આરાધકો વચ્ચે પહોંચી, સાચા દિલથી હર હર મહાદેવના નારા લગાવવાની આ તક ઝડપી લેવા જેવી છે. ભોળ્યો નાથ રિઝી જાય તો બેડો પાર થઈ જાય.
અનુભૂતિ, કિવંદતીઓ અને ચમત્કારો

ચમત્કારો થાય છે કે, નહીં એ હંમેશા વિવાદનો વિષય રહ્યો છે. આ બધા વચ્ચે એક ખૂબ જાણીતી ઘટના હરહંમેશ ગવાતી રહે છે. શિવરાત્રિના મેળામાં આવતા મોટાભાગના લોકો દાતારના દર્શને પણ જાય છે. પણ, જયારે સરઘસ નીકળવાનું હોય ત્યારે દાતાર ઉપર એ રાત્રે એકપણ યાત્રાળુ નથી હોતા.
બધા ગિર તળેટીમાં હોય છે. ચમત્કારની જે ઘટના ભાવિકો યાદ કરે છે એ વાત ૧૯૮૬ની મહાશિવરાત્રિએ બની હતી. દાતાર ઉપર ત્યાંના મહંત અને સઘ્ધિપુરુષ પટેલબાપુ, કેટલાક સેવકો અને માત્ર એક યાત્રાળુ હતા. એ યાત્રાળુએ પટેલબાપુ પાસે ‘શિવજીની પ્રસાદી’ માંગી.
પટેલબાપુ હળવું હસ્યા અને પછી રાબેતા મુજબ જગ્યામાં આવેલા કોઠાર રૂમમાં રાત્રે સાધના માટે ચાલ્યા ગયા. સવારે ચાર વાગ્યે બહાર આવ્યા ત્યારે એ યાત્રાળુને એમણે કહ્યું. ‘‘જાવ પ્રસાદી લઈ લ્યો…’’ અતિ રોમાંચિત થયેલા એ યાત્રાળુ કોઠાર રૂમમાં ગયા ત્યારે ત્યાં ફર્શ ઉપર ગુલાબની પાંદડીઓનો થર હતો.
બીજા દિવસે આવેલા તમામ યાત્રાળુઓને બાદમાં એ પ્રસાદીરૂપે આપવામાં આવી હતી. વાત સાચી માનવી કે ખોટી એ દરેકની વ્યકિતગત શ્રઘ્ધા, સમજણની વાત છે. પણ, એ વાત ખરી કે શિવજીને યાદ કરનારને ભૌતિક સ્વરૂપે નહીં તો અનુભૂતિના રૂપે, દિવ્ય પ્રસાદી અચૂક મળે છે.
ગુફાઓમાંથી આવે છે સિઘ્ધો

એ પૈકી વીસથી પચ્ચીસ સાધકોના ગિરનારમાં બેસણા છે.શ્રઘ્ધાળુઓ અને જાણકારોના મતે આ સાધકો ગિરનારની ગેબી ગુફાઓમાં આખું વર્ષ અજ્ઞાતવાસમાં સાધના કરે છે. લોકો સાથે એમનો સંપર્ક નથી હોતો. આ સિઘ્ધો માત્ર એક જ વખત મહાશિવરાત્રિના મેળામાં જાહેરમાં આવે છે અને પછી પરત ચાલ્યા જાય છે.
આ થિયરી સદીઓથી કણોપકર્ણોઊતરી આવી છે. એની સાબિતી કે પૂરાવા નથી હોતા. પણ, ગિરનારમાં ગેબી ગુફાઓના અસ્તિત્ત્વ વિશે કોઈશંકા કરી શકે તેમ નથી. આનું એક જવલંત ઉદાહરણ દાતારની ગુફા છે. ગિરનાર પર્વત ઉપરની આ કદાચ સૌથી વધારે રહસ્યમય જગ્યા છે. હજારો લોકો ત્યાં દર્શને જાય છે.
આ ગુફાના પ્રવેશસ્થાન ઉપર લાકડાનો દરવાજો છે જે પ્રાકતિક નથી, માણસોએ બનાવેલો છે. હવે બે ઘડી વિચારો કે એ દરવાજાની જગ્યાએ એક મોટો પથ્થર હોય તો કોઈને ખ્યાલ પણ ન આવે કે એની પાછળ એક ગુફા છે.
ગિરનારને પીછાણતા લોકો કહે છે કે, આવી તો અનેક ગુફાઓ મોજુદ છે અને કદાચ એ ગુફાઓમાં જ આ સઘ્ધિસાધુઓ તપશ્ચર્યા કરતા હશે. ગિરનાર બહારથી દેખાય છે એવો નથી. આ નરસૈયાની ભૂમિ છે. શ્રાપિત અમરત્વ પામેલો અશ્વસ્તથામા એની ગીરીકંદરાઓમાં ઘૂમે છે. ગિરનારમાં ચમત્કારો થતાં જ રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો