પૃષ્ઠો

સોમવાર, 18 નવેમ્બર, 2013

સંત કબીર

સંત કબીર : (૧૩૯૮૧૪૪૮ ) એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફિ પંથમાં જોવા મળે છે. કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયો હતો. લોકલાજને કારણે બ્રાહ્મણીએ એ પુત્રને કાશીના લહરતારા સ્થાને ત્યજી દીધો. ત્યારે વણકર દંપતી નીરુ અને નીમાએ પાલક માતા-પિતા તરીકે કબીરનો ઉછેર કર્યો. તેઓ ૧૨૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી જ્યું કિ ત્યું ધર દીની ચદરિયા’ ઉક્તિ પ્રમાણે બ્રહ્મલીન થયા.
રામભકત સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં પત્નીનું નામ લોઈપુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે. ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીરપંથની સ્થાપના કરવામાં આવી હતી.
અરબી ભાષામાં કબીરનો અર્થ 'મહાનથાય છે. કબીરદાસ ભારતનાં ભક્તિ કાવ્ય પરંપરાનાં મહાનતમ કવિઓમાંના એક હતા.ભારતમાં ધર્મ,ભાષા કે સંસ્કૃતિ કોઇ પણની ચર્ચા કબીરની ચર્ચા વિના અધૂરીજ ગણાય. કબીરપંથી,એક ધાર્મિક સમુદાય જે કબીરનાં સિદ્ધાંતો અને ઉપદેશોને પોતાની જીવન શૈલીનો આધાર માને છે,તેમના મતાનુસાર કબીર નો જન્મ ૧૩૯૮ ઈસ.માં થયો અને તેમનું મૃત્યુ ૧૫૧૮ ઈસવી માં થયું,અર્થાત કબીર અસાધારણ રુપે ૧૨૦ વર્ષ જીવ્યા હતાપરંતુ પછીનાં ઇતિહાસકારો નાં મતાનુસાર મૃત્યુ ૧૪૪૮ માં થયાનું મનાય છે.
કાશીના આ સંત કવિનો જન્મ લહરતારા પાસે સ. ૧૨૯૭ માં જેઠ માસની પૂનમનાં દિવસે થયેલ. વણકર પરિવારમાં પાલન પોષણ થયુંસંત રામાનંદ ના શિષ્ય બન્યા અને અલખ જગાડવા લાગ્યા. કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. કબીર ની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખીરમૈનીબીજકબાવન-અક્ષરી,ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે. ગુરુ ગ્રંથસાહેબમાં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ સાખિઓ છે.કાશી માં પ્રચલિત માન્યતા છે કે જે અહીં મરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.રૂઢિગતતાનાં વિરોધી કબીરને આ કેમ માન્ય થાયઆથી કાશી છોડી અને તેઓ મગહર ગયા અને ત્યાંજ દેહ ત્યાગ કર્યો. મગહર માં કબીર ની સમાધિ છે જેને હિંદુ મુસલમાન બન્ને પૂજે છે.
મતભેદ ભર્યું જીવન
હિંદી સાહિત્યમાં કબીરનું વ્યક્તિત્વ અનુપમ છે. ગોસ્વામી તુલસીદાસ પછી આટલું મહિમાવાન વ્યક્તિત્વ કબીર સિવાય અન્ય કોઇનું નથી. કબીરના જન્મ સંબંધી અનેક વાયકાઓ છે. કેટલાક લોકો અનુસાર તે જગદગુરુ રામાનંદ સ્વામીનાં આશીર્વાદથી કાશીની એક વિધવા બ્રાહ્મણી ના પેટે ઉત્પન્ન થયા હતા. બ્રાહ્મણી આ નવજાત શિશુને લહરતારા તળાવ પાસે ફેંકી આવી. તેને નીરુ નામક એક વણકર પોતાના ઘરે લાવ્યો.તેણેજ તેમનું પાલન-પોષણ કર્યું. પછીથી આ જ બાળક કબીર કહેવાયો. કતિપય કબીર પંથીઓની માન્યતા છે કે કબીરની ઉત્પત્તિ કાશીમાં લહરતારા તળાવમાં કમળનાં મનોહર પુષ્પ પર બાળકનાં રૂપમાં થયેલ. એક પ્રાચીન ગ્રંથ અનુસાર નેઇ યોગીનાં અંશ તહતો પ્રતીતિ નામની દેવાંગના ના ગર્ભથી ભક્તરાજ પ્રહલાદ જ સંવત ૧૪૫૫ જેઠમાસની પૂનમે કબીર ના રૂપ માં પ્રકટ થયા હતા. કેટલાક લોકોનું માનવું છે કે તે જન્મથી મુસલમાન હતા અને યુવાવસ્થા માં સ્વામી રામાનંદના પ્રભાવથી તેમને હિંદૂ ધર્મ ની બાબતમાં જાણકારી મળી. એક દિવસએક પ્રહર રાતનાં સમયે કબીર પંચગંગા ઘાટની સીડીઓ પર પડી ગયા રામાનંદજી ગંગાસ્નાન કરવા માટે સીડી ઉતરી રહ્યા હતા કે તેમનો પગ કબીરનાં શરીર પર પડ્યો,અને તેનાં મુખમાંથી તત્કાલ 'રામ-રામશબ્દ નીકળી પડ્યો.આ રામ ને કબીરે દીક્ષા-મન્ત્ર માની લીધો અને રામાનંદજીને પોતાનાં ગુરુ સ્વીકારી લીધા.
કબીરનાં જ શબ્દોમાં -હમ કાશી માં પ્રકટ ભયે છે,રામાનન્દ ચેતાયે.
ધર્મ પ્રતિ
સાધુ સંતોંનું તો ઘરમાં જમાવડો રહતો જ હતો. કબીર સાક્ષર ન હતાં- 'મસિ કાગદ છૂવો નહીંકલમ ગહી નહિં હાથ'તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યાંમોં થી ભાખ્યાં અને તેમના શિષ્યો એ તેને લખી લીધાં તેમના સમસ્ત વિચારોમાં રામનામનો મહિમા પ્રતિધ્વનિત થાય છે. તેઓ એક જ ઈશ્વર ને માનતા હતા અને કર્મકાંડ ના ઘોર વિરોધી હતા. અવતારમૂર્ત્તિરોજ઼ાઈદમસ્જિદમંદિર આદિને તેઓ માનતા ન હતા. કબીરના નામથી મળેલા ગ્રંથોની સંખ્યા ભિન્ન-ભિન્ન લેખો અનુસાર ભિન્ન-ભિન્ન છે. એચ.એચ. વિલ્સન અનુસાર કબીર ના નામ પર આઠ ગ્રંથ છે. બિશપ જી.એચ.વેસ્ટકૉટ કબીરના ૮૪ ગ્રંથોની સૂચી પ્રસ્તુત કરે છે તો રામદાસ ગૌડે 'હિંદુત્વમાં ૭૧ પુસ્તકો ગણાવી છે.
વાણી સંગ્રહ
કબીર ની વાણી નો સંગ્રહ 'બીજકના નામ થી પ્રસિદ્ધ છે. આના ત્રણ ભાગ છે- રમૈનીસબદ અને સાખી આ પંજાબી,રાજસ્થાનીખડ઼ી બોલીઅવધીપૂરબીબ્રજભાષા આદિ ઘણી ભાષાઓની ખિચડ઼ી છે. કબીર પરમાત્માને મિત્રમાતા,પિતા અને પતિના રૂપમાં જુએ છે. આજ તો મનુષ્યના સર્વાધિક નિકટ રહે છે.
તેઓ ક્યારેક કહે છે:
'હરિમોર પિઉમૈં રામ કી બહુરિયા'
તો ક્યારેક કહે છે:
'હરિ જનની મૈં બાલક તોરા'
તે સમયે હિંદૂ જનતા પર મુસ્લિમ આતંક નો કહેર છવાયેલો હતો. કબીરે પોતાના પંથને એ ઢંગથી સુનિયોજિત કર્યો જેથી મુસ્લિમ મત તરફ ઝુકેલી જનતા સહજ જ તેમની અનુયાયી બની ગઈ. તેમણે પોતાની ભાષા સરળ અને સુબોધ રાખી જેથી તે સમાન્ય માણસ સુધી પણ પહોંચી શકે. આથી બન્ને સમ્પ્રદાયોના પરસ્પર મિલનમાં સુવિધા થઈ. તેમનો પંથ મુસલમાન-સંસ્કૃતિ અને ગોભક્ષણ ના વિરોધી હતાં. કબીર શાંતિમય જીવનપ્રિય હતા અને તેઓ અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણોના પ્રશંસક હતાં. પોતાની સરળતા,સાધુ સ્વભાવ તથા સંત પ્રવૃત્તિના કારણે આજે વિદેશોમાં પણ તેમનો આદર થઈ રહ્યો છે.
વૃદ્ધાવસ્થામાં યશ અને કીર્ત્તિની મારે તેમને ખૂબ કષ્ટ આપ્યું. તેજ હાલતમાં તેમણે બનારસ છોડ્યું અને આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ કરવા માટે દેશના વિભિન્ન ભાગો ની યાત્રાઓ કરીઆ ક્રમમાં તેઓ કાલિંજર જિલ્લાના પિથૌરાબાદ શહેરમાં પહોંચ્યા. ત્યાં રામકૃષ્ણનું નાનકડું મન્દિર હતું. ત્યાંના સંત ભગવાન ગોસ્વામીના જિજ્ઞાસુ સાધક હતાં પરંતુ તેમના તર્કોંનું હજી સુધી પૂરી રીતે સમાધાન થયું ન હતું. સંત કબીર સાથે તેમનો વિચાર-વિનિમય થયો. કબીરની એક સાખીએ તેમના મન પર ઊંડી અસર કરી
બન તે ભાગા બિહરે પડ઼ાકરહા અપની બાન |
કરહા બેદન કાસોં કહેને કરહા ને જાન ||
વનથી ભાગેલો. બહેમાટા દ્વારા ખોદેલા ખાડામાં પડેલો હાથી પોતાની વ્યથા કોને કહે?
સારાંશ એ કે ધર્મની જિજ્ઞાસાથી પ્રેરિત થઈ ભગવાન ગોસાઈ પોતાનું ઘર છોડી બાહર તો નિકળી આવે અને હરિવ્યાસી સમ્પ્રદાયના ખાડામાં પડી એકલા નિર્વાસિત થઈ અસંવાદ્ય સ્થિતિમાં પડી જાય છે.
મૂર્ત્તિ પૂજાને લક્ષ્ય કરતાં તેમણે એક સાખી હાજર કરી
પાહન પૂજે હરિ મિલૈંતો મૈં પૂજૌં પહાર |
વા તે તો ચાકી ભલીપીસી ખાય સંસાર ||
કબીરના રામ
કબીરના રામ- તો અગમ છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ ઇસ્લામના એકેશ્વરવાદીએકસત્તાવાદી ખુદા પણ નથી. ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોયપણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી. અપિતુ આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છે:
વ્યાપક બ્રહ્મ સબ મૈં એકૈને પંડિત ને જોગી|
રાવણ-રાવ કવનસૂં કવન તેઓદ ને રોગી||
સંતૌધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન,
નિરગુનમૈં ગુનબાટ છાંડ઼િ ક્યૂં બહિસે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો